એક ભક્તે એમના એક સંબંધીની સ્વામીશ્રીને વાત કરતા કહ્યું,
'એમનો હાથ સધામાંથી ઓટોમેટીક છૂટો પડી ગયો. કોઈ અકસ્માત
નહી કે કાંઈ નહી.' સ્વામીજીએ આવું થવાનું કારણ સમજાવતા કહ્યું,
'એમના શરીરમાં ખુબ વાયુ. હશે. એ વાયુ જયારે સાધામાં આવે
એટલે ત્યાં જે લુબ્રીકેશન માટે ઓઈલ થતું હોય એ સુકવી નાખે. એના
કારણે ભાગ સુકો થઇ જાય એટલે હાથ સધામાંથી છૂટો થઇ જાય. એટલે
જેને વાયુની પ્રકૃતિ હોય એણે તો ઠંડા પીણા ટોટલ બંધ કરી દેવા જોઈએ.
ઠંડા પીણા શરીરની ગરમી ઓછી કરી નાખે, જઠરાગ્ની મંદ પડી દે. અને
વાયુ થાય એટલે બે ટાઇમ ગરમ દૂધ પી લેવું જોઈએ.